About the Book
‘અધિકતમ અને અધિકતર’ – નું વાંચન, એ આશા અને જીવનની વિપુલ સંભાવનાઓ માટેના કંઇકેટલા
માર્ગો ખોલી આપે છે. પુસ્તકના લેખક મહાત્રયા રાએ પોતાના જીવનભરની જિજ્ઞાસાના માધ્યમથી પ્રાપ્ત
કરેલા જ્ઞાનને તેમના વાચકોની સાથે એક અનોખી કથાના રૂપમાં પ્રસ્તુત કરે છે. તે આપણને અમલમાં મૂકી
શકાય તેવી સરળ યુક્તિઓના માધ્યમથી સફળતા અને જીવનઆનંદના માર્ગ પર પ્રસ્થાન કરાવે છે અને
આપણા જીવનની નાની કે મોટી વસ્તુઓના મહત્ત્વને સમજાવે છે. તે દરેક વ્યક્તિ માટે જરૂરી છે કે તેનું
જીવન સમગ્રતયા ખીલે – વ્યક્તિગત, વ્યવસાયીક રીતે અથવા મનોવૈજ્ઞાનિકપણે....
‘અધિકતમ અને અધિકતર’ પોતાની સ્પષ્ટ ભાષા અને સંબંધિત ઉદાહરણો માટે કોર્પોરેટ વિશ્વના અગ્રણી
ઉદ્યોગપતિ દ્વારા અપાર પ્રસંશા પ્રાપ્ત કરી રહ્યું છે. આ પુસ્તક એક ઉત્તમ ભેટ છે જે કોઇપણ વ્યવસાયીક
સંઘોની વ્યક્તિ કે આગેવાનોને જીવનઊર્જા પ્રદાન કરે છે.
તે તમામ દિવ્ય આત્માને સમર્પિત છે જે સ્વયંને બદલે દુનિયાને શ્રેષ્ઠતમ બનાવવાના પ્રયાસોમાં કાર્યરત છે.
‘જો તમે જે માર્ગ પર જઇ રહ્યા છો જેના પર બધા ચાલી રહ્યા છે.
તમે ત્યાં જ પહોંચશો જે અન્ય લોકો પહોંચવાના છે.
જો તમારે જ્યાં પહોંચવું છે, કે ત્યાં હજુ કોઇ પહોંચ્યું નથી,
તો તેની તમારે પહેલ કરવા તૈયાર રહેવું પડશે
જે અગાઉ પહેલા કોઇએ તે કર્યું નથી.
એક સફળતાની સાથે એક વિરામની આવશ્યકતા હોય છે.
પથ પ્રદર્શક ક્યારેક પથદર્શી બની જાય છે.
વિપુલતા તમારો જન્મસિદ્ધ અધિકાર છે.
તમે સૌથી વધુ અને અધિકારના પાત્ર છો.
અને એક માર્ગ છે’
- મહાત્રયા રા
‘અધિકતમ અને અધિકતર’ - આ પુસ્તકના અભ્યાસ દ્વારા તમારા જીવનમાં વધુમાં વધુ બદલાવ આવશે...