About the Book
મહાત્રયા રા લિખિત લઘુલેખોનો સંગ્રહ. દરેક પત્રમાં જીવન, કાર્ય, પરિસ્થિતિઓ અને દૃષ્ટિકોણ સંબંધિત કેટલાય વિષયો પર ઊંડાણપૂર્વકનો ગહનવિચાર પ્રસ્તુત કરેલો છે. સરળ ભાષાશૈલી દ્વારા પુસ્તકમાં સિદ્ધાંત અને વ્યવહારિક મુદ્દાઓની પ્રસ્તુતિ છે, જેને અમલમાં મૂકાય તો, જીવનને વધુ અર્થપૂર્ણ બનાવી પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે અડગ રહેવાનું આસાન બની રહે. એક આંતરિક સંઘર્ષ, એક નાનાસરખા સંબંધોની અડચણ, એક વ્યવસાયિક વિટંબણા, એક નીતિ-વિષયક સમીક્ષા, ટાઇમ-મેનેજમેન્ટના મુદ્દા, જે પણ હોય...
તે તમામનું સમાધાન અહીં છે.
‘‘કોઇપણ પૃષ્ઠ ખોલો, ઉત્તર સાધકને શોધી રહ્યો છે’’
કંઇકેટલા લોકોએ આ પુસ્તકમાં તેમના પ્રશ્નોના ઉત્તર મેળવ્યા છેઃ - અપ્રેષિત પત્ર
About the Author(s)
બે દશકોથી પણ વધુ સમયથી, મહાત્રયા રા વિશ્વભરના લાખો લોકોને ઉત્કૃષ્ઠ જીવન જીવવા માટે જાગૃત બનાવી રહ્યા છે. મહાત્રયા રા અને તેમની બૌદ્ધિકસંપદા દ્વાર લોકોના જીવન બદલાઇ રહ્યાં છે, અને કંઇ કેટલા લોકોના સ્વાસ્થ્ય, ધ્યાન, પ્રેમ, જીવનઆનંદ, આધ્યાત્મિકતા સાથેના સમન્વયમાં સફળતા શોધવા માટે પોતાની રૂઢિગત માન્યતાઓ અને ભ્રમણાઓને દૂર કરવામાં સહાયક બની રહ્યા છે.
તેઓ ફોર્બ્સની યાદીમાં સમાવેશ થયેલા ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગસાહસિકો, ચિંતકો, પુરસ્કૃત થયેલા સંગીતજ્ઞો, રમતવીરો, શિક્ષણવિદ્ અને વિદ્યાર્થીઓથી માંડી કંઇકેટલા લોકોના જીવનમાં વૈચારિક ઊર્જાથી સશક્ત બનાવી રહ્યા છે.
તેમની શિક્ષાનો માર્ગ અનુભવાત્મક, સાંપ્રત અને સરળતા દ્વારા હાસ્ય અને બુદ્ધિના સમન્વય સાથે વણાયેલો છે. વય, સામાજીક મોભો અથવા ભૌગોલિક સરહદોની ચિંતા કર્યા વગર સદૈવ સફળતાની પ્રેરણા આપે છે. મન અને હૃદયને આકર્ષે છે. જીવનના તમામ રહસ્યો અને વિરોધાભાસની પાછળ ‘શા માટે’ની ભાવનાત્મક સંભાવના સાથે અનુભવોને પ્રસ્તુત કરતા, તેઓ હજારો સંગઠનો અને અગણિત લોકોને ખરા અર્થમાં ‘જીવન સુંદર છે’ – તેની અનુભૂતિ કરાવે છે.
મહાત્રયા રા સ્વયં પોતાના જીવન માટે એક નિરંતર રહસ્યોદ્ધાટક છે. તે પથ-નિર્દેશક છે અને એક પ્રકારે પથ-
નિદર્શક છે.. તે સ્વયં એક ઘટના છે.....