About the Book
ભરતપુરના ‘રાજા સૂરજમલે’ કેવલાદેવ મંદિરની બાજુમાં નદી કાંઠે એક ડેમ બાંધ્યો. જ્યાં અગણિત પક્ષીઓ આવી વસ્યા. પક્ષીઓનો શિકાર કરવો તે રાજાઓનો શોખ રહ્યો હતો. સમય જતાં પક્ષીઓ અંગેની સંવેદના સાથે કાનુન બન્યો અને પક્ષીઓને મુક્ત વિહાર માટેના અભ્યારણ્યો બન્યા. ભારતભરમાં વન્યજીવો માટેના અસંખ્ય અભયારણ્યો છે તેમાં કેવલાદેવ પક્ષી અભયારણ્યને હેરિટેજ સાઇટ માટે માન્યતા મળી. પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ સાથે આ અભયારણ્યમાં અસંખ્ય પક્ષીઓનો આવાસ છે. તેમનો કલરવ નવી પેઢીના બાળકો માટે પ્રિય બની રહેશે.
About the Author(s)
લેખકઃ ડૉ. ઇરચ ભરૂચા, દિવસે ડૉક્ટર છે અને રાત્રે તેઓ જીવ-વિજ્ઞાનના નાયક થઇ જાય છે. તેઓ ભારતના સુંદર કુદરતી વારસાને ઘણા દાયકાઓથી જાળવે છે. તેઓને બાળકોને અભયારણ્યમાં અને બીજા વિસ્તારોમાં લઇ જવાનું અને કુદરત વિશે શીખવાડવાનું ગમે છે. તે ફક્ત પુસ્તકરો દ્વારાજ નહીં પરંતુ અવલોકન દ્વારા અને વાતાવરણ જોડેના સંપર્કથી કુદરત વિશે શીખવાડે છે. જ્યારે ભારતના ઘણાખરા કુદરતી વારસાઓનો નાશ થઇ રહ્યો છે ત્યારે ડૉ. ભરૂચા બહુ આશાવાદી થઇને કહે છે કે આજના બાળકો આપણા જંગલો, નદીઓ અને પ્રાણીઓને ભવિષ્યમાં સાચવશે.